Tenders

Accounts

MOUs

Visitors Counter

44035737

કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગરના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણી ઉદ્ઘાટન સમારોહ મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ. કૃ. યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ યોજાયેલ.

મુખ્ય સુકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ., તરઘડિયા ખાતે તા. ૦૫-૦૯-૨૦૨૫ ના રોજ કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જામનગર, હાલ તરઘડીયામુકામેના શુભારંભ, સાયન્ટીસ્ટ ડે, ખેડૂત જાગૃતિ કાર્યક્રમ અને કૃષિ ટેક્નોલોજી સપ્તાહ ઉજવણીના ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હત્તું હતું. આ બહુવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ અને ઉદઘાટકશ્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, કેબીનેટ મંત્રી શ્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર અને આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી  ડો. વી. પી. ચોવટિયા  સાહેબ, માનનીય કુલપતિશ્રી જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢના વરદ હસ્તે માં સરસ્વતીને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શુભ શરૂઆત, સંશોધન વૈજ્ઞાનિકશ્રી (સુકી ખેતી) અને ખાસ ફરજ પરના અધિકારી,કૃષિ મહાવિધાલય, જૂ. કૃ .યુ., જામનગર, ડો. ડી. એસ. હીરપરા સાહબે શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી મહેમાનોના સ્વાગતથી કરેલ હતી. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ તેમના ઉદબોધનમાં જણાવેલ કે જામનગરની આ કૃષિ મહાવિદ્યાલયમાં વિધાર્થીઓ સારું શિક્ષણ મેળવી રાજ્ય અને  દેશના કૃષિ વિકાસના વેગમાં ફાળો આપી પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવશે. માનનીય કુલપતિશ્રી  ડો. વી. પી. ચોવટિયા  સાહેબે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ કૃષિ યુનીવર્સીટી હેઠળ  જુનાગઢ, અમરેલી, ખાપટ-પોરબંદર અને મોરબી મુકામે એમ ચાર કૃષિ કોલેજ હતી અને માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના પ્રયત્નોથી જામનગર મુકામે આ પાંચમી  કૃષિ કોલેજ મળેલ છે. જુ.કૃ.યુ. ના  નિયામક મંડળ સભ્યશ્રી આદરણીય  ડો. થોભણભાઈ ઢોલરીયા સાહેબે વિધાર્થીઓને ખુબ મહેનત કરી આ કોલેજ ખાતે અભ્યાસ કરવાની મળેલ તકનો લાભ લઇ જીવનમાં આગળ વધવાનો અનુરોધ કરેલ હતો. કાર્યક્રમનું સમાપન  જૂ. કૃ .યુ.  જુનાગઢના   કુલસચિવશ્રી, ડો. વાય. એચ. ઘેલાણી સાહેબે ઉપસ્થિત  રહેલ  સૌ મહાનુભાવોનો તેમજસંશોધન નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, જુ.કૃ.યુ. જુનાગઢ અને   જુ.કૃ.યુ. જુનાગઢના  જુદા જુદા વિભાગના વિભાગીય વડાશ્રીઓ, તેમજ પેટા કેન્દ્રના વડાશ્રીઓ અને જુ.કૃ.યુ. ના  નિયામક મંડળ સભ્યશ્રી આદરણીય  ડો. થોભણભાઈ ઢોલરીયા સાહેબ અને ડો. એમ.ડી. ખાનપરા સાહેબ, ખેતીવાડી અને બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ, પ્રિન્ટ મીડિયાના પત્રકારશ્રીઓ ,  વિધાર્થીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, સૌ કર્મચારીગણ, ખેડૂતભાઈઓ અને બહેનોનો  હ્રદયપૂર્વક  આભાર વ્યક્ત કરી  કરેલ હતું.

Picture1
Picture2
Picture3
Picture4
1/4 
start stop bwd fwd

News

મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર ખાતે મગફળી માટેના અદ્યતન “સ્પીડ બ્રિડિંગ સ્ટ્રક્ચર”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ કરવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ૫-ડીસેમ્બર-૨૦૨૫નાં રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવેલ.
Junagadh Agricultural University JAU has proudly achieved a significant milestone in the India Today Rankings 2025, securing the 30th position at the national level and ranking 1st within the state among government universities across India.
College of Agricultural Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level. In National Ranking of GHRDC Engineering Colleges Survey 2025.
JAU has been rated 5-Star by the Gujarat State Institutional Rating Framework (GSIRF).
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.
JAU has been awarded 7th rank among all the State Agricultural Universities of India and 2nd rank in State by Educationworld, India Higher Education Ranking 2023-24.
College of Agricultural Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level. In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey 2022.
In Gujarat State Institutional Rating Framework (GSIRF) 2021-22 Junagadh Agricultural University got 5th position

Advertisements